સોલંકી કિશોરસિંહ,
લીમખેડા ખાતે જય અંબે ગ્રુપ ભરવાડ ફળિયા લીમખેડા દ્વારા પગપાળા પદ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.જેમાં આયોજકો વાગુભાઈ કટારા, કરણભાઈ લુહાર, બાબુભાઈ ભરવાડ, પર્વતભાઇ ભાભોર,નિલેશ ભાભોર,રિકી ગીધવાણી,સંદીપ ગુર્જર વિગેરે માઇભકતો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ,લીમખેડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ ભરવાડ,તાલુકા પંચાયત લીમખેડાના કારોબારી અધ્યક્ષ શ્રી ડૉ. મોહનભાઈ ભાભોર દ્વારા મહાઆરતી કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

