જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા અધવચ્ચેથી જ ખતમ કરીને બુધવારે સવારે દિલ્હી પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં થનારી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં હાજરી આપશે.પીએમ નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા અંગે વાતચીત થઈ. મોહમ્મદ બિન સલમાને આતંકવાદી હુમલાની નિંદા કરી. આ દરમિયાન, બંને દેશોના નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ-અધ્યક્ષતા કરી, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો છે.
આતંકવાદીઓએ પહેલગામમાં 26 લોકોની હત્યા કરી દીધી, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલો 2019 માં પુલવામા હુમલા પછી ઘાટીમાં સૌથી ઘાતક હુમલો છે.વડાપ્રધાન મોદી બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું,

