આજ રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા સૈનિકોના માનમાં આપણાં ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા ૧૫૧ ફૂટ લાંબા તિરંગાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા શ્રી રામજી મંદિર લીમખેડાથી નિકળી હરિહર સ્કૂલ થઈ, શાસ્ત્રી ચોક ફરી શ્રી રામ જી મંદિર ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવી. આ યાત્રામાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી ના આદરણીય પ.પૂ. શ્રી સુરેશદાસજી મહારાજ, શનિધામ પાલ્લીના આદરણીય પ.પૂ.શ્રી રવિન્દ્ર બાપુ, શ્રી ઠાકર મંદિર મોટા હાથીધરા ના આદરણીય પ.પૂ. શ્રી અલ્પેશ મહારાજ, શ્રી રામજી મંદિર લીમખેડાના મહંતશ્રી, શ્રી રામદેવજી મંદિર લીમખેડાના આદરણીય પ.પૂ. શ્રી સંતોષદાસ મહારાજ તથા ગ્રામજનો ભવ્ય યાત્રા માં ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

