શ્રી ફતેસિંહરાવ આર્ય અનાથ આશ્રમ ખાતે વિજ્યા દશમી નિમિતે “રાષ્ટિય ચેતના પર્વ” ની ઉજવણી ખુબ જ ધામ ધૂમ થી કરવા માં આવી.
આ કાર્યક્રમ માં યોગ શિક્ષક શ્રી પ્રદીપ થદાની સી ડબ્લ્યુ સી ના ચેર પર્સન શ્રી શંકરલાલ ત્રિવેદી, પ્રાકૃતિક ખેતી અને વિશ્વામિત્રી બચાવો અભિયાન ના રાજુભાઈ ઠક્કર, આર્યસમાજ ના પ્રધાન શ્રી રાજેન્દ્રપાલ વર્મા, સંસ્થા ના પ્રધાન શ્રી કૃષ્ણકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નુ સંચાલન સંસ્થા ના મંત્રી શ્રી પ્રહલાદ ઠાકરે કર્યું હતું. કાર્યક્રમ નુ સંપૂર્ણ આયોજન તથા વ્યવસ્થા શ્રી ચિરાગભાઈ શાહે કરી હતી.
સંસ્થા ના બાળકો ને પ્રશિક્ષણ આપવા દિલ્હી થી આચાર્ય શ્રી સત્યમ આર્ય જી ખાસ પધાર્યા હતા. જેમાં બાળકો એ સર્વાગ સુંદર વ્યાયામ, ભૂમિ નમસ્કાર. સૂર્ય નમસ્કાર, ચંદ્ર નમસ્કાર, રોપ મલખમ, ભૂમિ મલખમ, લાઠી, કરાટે, તથા કમાન્ડો ટ્રેનિંગ જેવા કરતાબો બતાવી ને લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા.

