

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી ગોધરા
તસ્વીર:- મેહફુઝ હસન ગોધરા
પંચમહાલ જિલ્લા નુ પાટનગર ગોધરા શહેર અનેક વાર ચર્ચા ઓ માં જોવા હોય છે અને વધુ માં વધુ નગર પાલિકા ના કામો ને લઇ ચર્ચા માં હોય છે ત્યારે વાત કરી તો ગોધરા શહેર ના મધ્યે આવેલ વોર્ડ નંબર ૬ માં અનેક જગ્યાએ ગંદકી ના ઠગલા જોવા મળે છે વાત કરીએ તો મુસ્લિમ લોકો નો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો કુંભકર્ણ ની નિંદ્રા માં હોય તેમ દેખાય રહ્યુ છે કારણકે વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો ને લોકો દ્વારા મત(વોટ) આપ્યા પછી પ્રજા ને પડતી મુશ્કેલીઓ ને નિકાલ લાવવા જીતાડી મોકલ્યા હતા પરંતુ વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો પ્રજા નો ફોન તો ઠીક પણ મળવા પણ તૈયાર ના હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે વોર્ડ નંબર ૬ ના મધ્યે આવેલ પોલીસ ચોકી નંબર ૭ ની પાછળ ગંદગી નો મોટો ઠગલો પાછલા ઘણા સમય થી જોવા મળી રહ્યો છે પરંતુ આજદિન સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી.
શું વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો કુંભકર્ણ ની નિંદ્રા માંથી જાગશે ખરા?
શું વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો લોકો ની સમસ્યાઓ દૂર કરશે ખરા?
શું વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો પ્રજા સામે આવશે ખરા?

