મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની નાનાવડદલા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્રેના વતની શ્રી શંકરલાલ ત્રિવેદી કે જેઓ વડોદરા ખાતે રહે છે તેમના તરફથી પ્રતિવર્ષે નાનાવડદલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાય છે. આ શૈક્ષણિક કીટમાં શાળાના વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણેનું સાહિત્ય હોય છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શંકરલાલ ડી. ત્રિવેદીએ સાહેબે શાળાની મુલાકાત લઈ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની સાથે સાથે આશીર્વચન પણ પાઠવ્યા હતા. શ્રી શંકરલાલ ત્રિવેદીએ માતૃભુમિ અને પોતાની શાળા પ્રત્યેની આ લાગણી અને માનને શાળા પરિવાર તરફથી શાળાના આચાર્ય શ્રી પ્રકાશકુમાર પ્રજાપતિએ બીરદાવી હતી અને શાળા પરિવાર તરફથી શ્રી શંકારલાલ ત્રિવેદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

