Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીર / પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને 26 : PM મોદી ભારત પરત ફર્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા અધવચ્ચેથી જ ખતમ કરીને બુધવારે સવારે દિલ્હી પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં થનારી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં હાજરી આપશે.પીએમ નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા અંગે વાતચીત થઈ. મોહમ્મદ બિન સલમાને આતંકવાદી હુમલાની નિંદા કરી. આ દરમિયાન, બંને દેશોના નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ-અધ્યક્ષતા કરી, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો છે.

આતંકવાદીઓએ પહેલગામમાં 26 લોકોની હત્યા કરી દીધી, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલો 2019 માં પુલવામા હુમલા પછી ઘાટીમાં સૌથી ઘાતક હુમલો છે.વડાપ્રધાન મોદી બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું,

Share

Related posts

રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે સ્વાસ્થ્ય સેવા પખવાડિયા – ૨૦૨૩ અંતર્ગત “રક્તદાન મહાદાન” કેમ્પ યોજાયો

gujaratjanekta

ગુજરાતના કરછ જિલ્લાનું માંડવી હેઈન્ડ-પેઈન્ટ કળા માટે પ્રખ્યાત – જાણો વધુ

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા માંજલપુરના પુર્વ કોર્પોરેટરશ્રી શંકરલાલ ડી.ત્રિવેદીને બ્રહ્મગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial