Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમા ગ્રામજનોના આક્ષેપ : નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈઆપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસીયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીના ગ્રામજનો દ્વારા આપ પાર્ટી અનિલ ગરાસીયાનો સંપર્ક કરી ગામમાં રોડ રસ્તા, સ્મશાન, જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ છે પણ સ્થળ પર કામ ન થયા હોવાની મૌખિક રજુઆત કરેલ હતી. તેઓની મૌખિક રજૂઆતો બાદ આપ પાર્ટી અનિલ ગરાસિયા દ્વારા રૂબરૂ કલજીની સરસવણીના ગ્રામજનોની મુલાકાત લીધી હતી અને ત્યાં મોટા પ્રમાણમાં ગ્રામજનો પોતાના વિસ્તારોમાં કામગીરી નથી થઈ અને ભ્રષ્ટાચાર થયેલ હોવાનો આક્ષેપો લગાવી રહેલ હતા.
ગ્રામજનોની મુલાકાત દરમ્યાન નવી વસાહતમાં જાહેર શૌચાલય ન હોવાની બુમ, અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા તેના નાણાંની ઉચાપત, સ્મશાનનો શેડ અને તેને ફરતો કોટ જેવી અનેક સમસ્યાઓ વિશે ગ્રામજનો દ્વારા મૌખિક આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામજનોનુ કહેવુ છે ઉપરોક્ત રજૂ કરેલ કામો જે અમુક વિસ્તારોમાં કરવામાં આવેલ નથી અને આ કામો નાણાંપંચની કામગીરીમા બતાવવામાં કરેલા છે તેવું બતાવવામાં આવેલ છે. ઉપરોક્ત દરેક કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાનો ગ્રામજનો ગંભીર આક્ષેપ લગાવી રહેલ છે તેમજ આ ભ્રષ્ટાચાર હેઠળ દર્શાવેલ કામોના નાણાં બારોબાર સગેવગે થયેલ હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે આ કામોની નિષ્પક્ષ તપાસ થાય તે માટે ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓને અપીલ કરી રહેલ છે.

Share

Related posts

ઉત્તર ગુજરાતમાં નવા વર્ષે 21 MSCની નવી કોલેજો શરૂ થશે

gujaratjanekta

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે નવા તાલીમાર્થીઓનુ સ્વાગત કરી પ્રોત્સાહનરૂપી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ ગ્રામજનોના કહેવા મુજબ નોંધાયેલ ખ્રિસ્તી સંખ્યા ખૂબ ઓછી છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial