Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં નવા બનેલ રોડના છેડા જોઈન્ટ ન કરાતા વાહનચાલકોને પડતી હાલાકી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં સ્વર્ણિમ સર્કલ થી વણકતલાઈ મંદિર રોડ પર આસરે છ મહિના પહેલા નવીન રોડ બનાવવામાં આવેલ હતો. આ વિસ્તારના તૂટેલા અને ખખડધજ હાલતનો નવીન રોડ બનતા આ રોડ પર થી પસાર થતા વાહનચાલકોને ખુશી થયેલ હતી. આ રોડ પર થી પસાર થતા અંદાજીત ત્રણ જેટલી મોટી સ્કૂલો આવેલ છે તેમજ વણકતલાઈ હનુમાનજી મંદિર અને બરોડા ગ્રામીણ બેંક તેમજ સોસાયટીઓ આવેલ છે.
આ રોડનુ નવીનીકરણ કર્યા બાદ રોડ જોઈન્ટ માટે નગરપાલિકાને રજૂઆત કર્યા બાદ જે તે સમયે કપચી નાંખી દીધી હતી પરંતુ કોઇ ઠોસ કામગીરી કરવામાં આવી ન હતી. હાલ આ રોડ ને બન્યા છ મહિના ઉપરાંત વિતી ગયેલ હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા રોડ જોઇન્ટ કરવામાં આવી રહેલ નથી. આ રોડ જોઈન્ટ ન હોવાથી આવતા જતા વાહનચાલકોના વાહનો અહીંયા પટકાતા હોય છે અને અમુક વાર તો આ રોડને જોઈન્ટ ન હોવાથી કેટલાક વાહન ચાલકો પડી ગયેલ હોવાનુ પણ જાણવા મળેલ છે. પાલિકા તંત્ર ને હાલ નગરમાં નવીન કાર્યમા રસ છે પરંતુ આ રોડને જોઈન્ટ કરવામાં રસ નથી આ રોડ પર થી પાલિકાના સત્તાધીશો પણ નીકળતા હોય છે છતાંય આ રોડ પર ધ્યાન આપવામાં આવતું નથી. હાલ જોવાનું રહ્યું આ રોડ જોઇન્ટ માટે પાલિકા તંત્ર સત્વરે કામગીરી કરશે કે હોતા હૈ…ચલતા હૈ….જેમ આંખ આડા કાન કરશે.

Share

Related posts

108માં રાજ્યભરમાંથી કુલ 41 દાઝી જવાના કોલ મળ્યા

gujaratjanekta

દેવગઢબારીયા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરના યુવાનની આગવી સૂઝબુઝ થી બસમાં બેસેલ અંદાજીત સિત્તેર જેટલા મુસાફરોની જાન બચાવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial