પંકજ પંડિત
ઝાલોદ નગરમાં સ્વર્ણિમ સર્કલ થી વણકતલાઈ મંદિર રોડ પર આસરે છ મહિના પહેલા નવીન રોડ બનાવવામાં આવેલ હતો. આ વિસ્તારના તૂટેલા અને ખખડધજ હાલતનો નવીન રોડ બનતા આ રોડ પર થી પસાર થતા વાહનચાલકોને ખુશી થયેલ હતી. આ રોડ પર થી પસાર થતા અંદાજીત ત્રણ જેટલી મોટી સ્કૂલો આવેલ છે તેમજ વણકતલાઈ હનુમાનજી મંદિર અને બરોડા ગ્રામીણ બેંક તેમજ સોસાયટીઓ આવેલ છે.
આ રોડનુ નવીનીકરણ કર્યા બાદ રોડ જોઈન્ટ માટે નગરપાલિકાને રજૂઆત કર્યા બાદ જે તે સમયે કપચી નાંખી દીધી હતી પરંતુ કોઇ ઠોસ કામગીરી કરવામાં આવી ન હતી. હાલ આ રોડ ને બન્યા છ મહિના ઉપરાંત વિતી ગયેલ હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા રોડ જોઇન્ટ કરવામાં આવી રહેલ નથી. આ રોડ જોઈન્ટ ન હોવાથી આવતા જતા વાહનચાલકોના વાહનો અહીંયા પટકાતા હોય છે અને અમુક વાર તો આ રોડને જોઈન્ટ ન હોવાથી કેટલાક વાહન ચાલકો પડી ગયેલ હોવાનુ પણ જાણવા મળેલ છે. પાલિકા તંત્ર ને હાલ નગરમાં નવીન કાર્યમા રસ છે પરંતુ આ રોડને જોઈન્ટ કરવામાં રસ નથી આ રોડ પર થી પાલિકાના સત્તાધીશો પણ નીકળતા હોય છે છતાંય આ રોડ પર ધ્યાન આપવામાં આવતું નથી. હાલ જોવાનું રહ્યું આ રોડ જોઇન્ટ માટે પાલિકા તંત્ર સત્વરે કામગીરી કરશે કે હોતા હૈ…ચલતા હૈ….જેમ આંખ આડા કાન કરશે.

