પંકજ પંડિત
મનાભાઈ નાનજી ભાઈ બારિયા જે રાજસ્થાનના ગાંગડતલાઈ મુકામના રહેવાસી છે તેઓ પોતાના ભાઈના નામની ટૂં વ્હીકલ મોટર સાયકલ RJ-03-AB-8086 લઈને 19-11-2024 ના રોજ મોડાસા થી મજૂરી કરીને પત્નીને બેસાડી પોતાના વતનમાં જઈ રહેલ હતા તે દરમ્યાન આસરે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ વેલપૂરા ગામે હાઇવે રોડ પર સાઈડમાં શૌચાલય જવા ગાડી ઉભી રાખી હતી. મનાભાઈ સૌચ કરી આવીને તેમની પત્નીની રાહ જોતા પોતાની ટૂ વ્હીલર ગાડી પર બેઠા હતા તે દરમિયાન અચાનક એક અજાણ્યા ફોર વ્હીલર વાહન દ્વારા ગફલત રીતે વાહન હંકારી લાવી ટુ વ્હીલર ગાડીને ટક્કર મારી નાસી છૂટેલ હતો. ફોર વ્હીલર ગાડીની ટક્કર વાગતા મનાભાઈ ગાડી પર થી ફંગોળાઈ જતાં જમીન પર પટકાતા તેમને માથા અને શરીરમાં ઈજાઓ થયેલ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ સરકારી હોસ્પિટલમાં મનાભાઈ ને સારવાર માટે લાવવામાં આવતા ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા તેઓનુ મૃત્યું થઈ ગયેલ હોવાનું જણાવેલ હતું. મનાભાઈની પત્ની દ્વારા અજાણ્યા વાહન વિરુદ્ધ ઝાલોદ પોલિસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ લખાવેલ છે.

