Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત

પંકજ પંડિત

મનાભાઈ નાનજી ભાઈ બારિયા જે રાજસ્થાનના ગાંગડતલાઈ મુકામના રહેવાસી છે તેઓ પોતાના ભાઈના નામની ટૂં વ્હીકલ મોટર સાયકલ RJ-03-AB-8086 લઈને 19-11-2024 ના રોજ મોડાસા થી મજૂરી કરીને પત્નીને બેસાડી પોતાના વતનમાં જઈ રહેલ હતા તે દરમ્યાન આસરે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ વેલપૂરા ગામે હાઇવે રોડ પર સાઈડમાં શૌચાલય જવા ગાડી ઉભી રાખી હતી. મનાભાઈ સૌચ કરી આવીને તેમની પત્નીની રાહ જોતા પોતાની ટૂ વ્હીલર ગાડી પર બેઠા હતા તે દરમિયાન અચાનક એક અજાણ્યા ફોર વ્હીલર વાહન દ્વારા ગફલત રીતે વાહન હંકારી લાવી ટુ વ્હીલર ગાડીને ટક્કર મારી નાસી છૂટેલ હતો. ફોર વ્હીલર ગાડીની ટક્કર વાગતા મનાભાઈ ગાડી પર થી ફંગોળાઈ જતાં જમીન પર પટકાતા તેમને માથા અને શરીરમાં ઈજાઓ થયેલ હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ સરકારી હોસ્પિટલમાં મનાભાઈ ને સારવાર માટે લાવવામાં આવતા ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા તેઓનુ મૃત્યું થઈ ગયેલ હોવાનું જણાવેલ હતું. મનાભાઈની પત્ની દ્વારા અજાણ્યા વાહન વિરુદ્ધ ઝાલોદ પોલિસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ લખાવેલ છે.

Share

Related posts

ગુજરાત કરછના આ ગામડામાં મનની શાંતિ માટે ફોરેનર્સના ધામા: અબજોપતિઓ કરે છે સાધના, સેવકે કહ્યું-અહીં ઘણાની જિંદગી બદલાઈ ગઈ

gujaratjanekta

રાજ્યમાં 108 એમ્બુલન્સને 1 વર્ષમાં ડિલિવરી માટે 4.42 લાખ કોલ મળ્યા, 10,065 મહિલાઓની એમ્બુલન્સમાં ડિલિવરી થઈ

Admin

ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial