દાહોદવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરુપે આજે ભાવનગર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા સહિત આચાર્યશ્રીઓ અને કર્મચારીઓએ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

