દાહોદ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાવામાં આવી હતી.આ મિટિંગ દરમ્યાન રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા ગત વર્ષ ઉપરાંત ચાલુ વર્ષ દરમ્યાન લીધેલા કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચેક ડેમ, તળાવ, નવી ચેક દીવાલ, નવા ખેતર તળાવ, કેનાલ, ચેક ડેમ રીપેરીંગ તેમજ તળાવ ઊંડા કરવા સહિતની કામગીરી વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમ્યાન વર્ષ ૨૦૨૩-૨૪ ના સમગ્ર તયા પ્લાનની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.આ મિટિંગ નિમિતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સહિત સિંચાઈ વિભાગના અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

