અરવિંદ કેજરીવાલના રાજીનામા પછી આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને કેબિનેટ મંત્રી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યાં છે. ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાજભવનમાં આયોજિત સમારોહમાં આતિશીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા.
આતિશીની સાથે પાંચ મંત્રીઓના શપથ
આતિશીની સાથે પાંચ કેબિનેટ મંત્રીઓ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન તથા મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં હતા. દિલ્હી સરકારમાં સીએમ સહિત કુલ છ મંત્રી છે.

