જીગ્નેશ જોષી – પત્રકાર
એેૈતિહાસિક ભીમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ આગામી 7-8-9 માર્ચે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભિલોડિયા મુકામે ખુબજ ધામ ધૂમ અને ભક્તિમય વાતાવરણ માં યોજાશે. આ અંગે ગામની મંદિર નિર્માણ સમિતિ જણાવ્યું હતુ કે ત્રિદિવસીય કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા – મહાપૂજા – ભંડારો અને અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવનારુ છે.
ગામ લોકોના પરિવારે બહાર ગામ વસતા તમામ લોકોને કાર્યક્રમમાં હાજર રહેવા તેમજ ગામની તમામ દીકરીઓને પણ ગામે સહ પરિવાર આમંત્રણ પાઠવ્યું છે. આમ પૂરું ગામ આ ત્રી-દિવસીય મહોત્સવમાં એક સાથે સમૂહ ભાવનાથી જોડાશે.

ભીમનાથ મહાદેવ મંદિર વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભિલોડિયા ગામે ઓરસંગ એરણ અને માછલી નદીના ત્રિવેણી સંગમ સ્થાને આવેલ છે. લોક વાયકા મુજબ આ શિવલિંગ પાંડવો દ્વારા સ્થાપિત કરેલ છે. આ મંદિર સાથે રાજા નળ અને દયમન્તિ ની કથા પણ જોડાયેલ છે. આમ આ પૌરાણિક અને ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.

