Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વધુ વરસાદ પડવાથી પાણી પાનમ નદીમાં છોડતા ડોકવા ખાતે આવેલ મહાદેવના મંદિરના પાયાની દીવાલ ધરાસાઈ થઈ!?

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મોટા ડોકવા ગામે અને પાનમ નદી કીનારે આવેલ સ્વયં ભુ તપેશ્વર મહાદેવનુ અતિ પ્રાચીન મંદીર આવેલ છે. જયારે 1972 તેમજ 1973 મા નદીમાં મોટાપાયે પુર આવ્યો હતો તે સમય દરમિયાન મહાદેવ ભગવાન અને બાળસ્વરૂપે પાર્વતી સાથે મંદીરે પ્રદશિણા કરેલ તેવો ચમત્કાર થયેલ હતો. જયારે મંદિરના સંરક્ષણ માટે ગ્રામજનો દ્વારા લાખો રૃપિયાના ખર્ચ દીવાલ બનાવામાં આવેલ હતી પંરતુ મહીસાગર જીલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન પાનમ નદીના પાણીનો આવકનો સ્ત્રોત વધતા પાનમ ડેમના દરવાજાઓ ખોલી નાખતા પાનમ નદી ગાંડીતુર બની હતી અને પાનમ નદીના ધમધમતા પ્રવાહને લઈને પાનમ નદીનુ પાણી મંદીરના પાયા સુધી ફરી વળતા મંદીરના પાયાની દીવાલ ધરાસાય થઈ હોય તેમ લાગી રહ્યું છે !!

ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે કે જ્યારે સમયચુકતા સાથે પાણી છોડવામા આવેલ હોય તો હાલ આ ઘટના સર્જાઈ ન હોત. હાલ મંદિરમાં થયેલ નુકસાનને લઈને સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવેલ હતી.

Share

Related posts

ભૂગર્ભ ગટરના કનેક્શન્સ વિના શરૂ થતી RCC રોડની કામગીરી સામે લુણાવાડાના નગરપાલિકા સભ્યોનો વિરોધ : વિજીલન્સ તપાસની માંગ

gujaratjanekta

મુખ્યમંત્રીએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું, 30 રુ. ટિકિટ લઈને એન્ટ્રી

Admin

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાન્તિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શનમાં શક્તિ સંવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial