Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

નર્મદા જીલ્લામાં ધોધમાર વરસાદ : ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાયું

નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાગબારા તાલુકામાં સેલંબામાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. સેલંબાની તરાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરે સુધી પાણી ઘૂસી આવ્યા હતા. ગામોના અનેક રસ્તાઓ કોઝવેમાં ડૂબી ગયા હતા. સાગબારાનો ચોપાડવાવ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.

નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર બની છે. ગઇકાલે બપોરે નર્મદા ડેમના સૌ પ્રથમ 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, તબક્કાવાર કુલ 23 ગેટ ખોલી 10 લાખ ક્યુશેક પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા હતા. રેંગણ, વાસણ ગામ પાસે નર્મદા નદી કિનારે મુકવામાં આવેલ મહાકાય નંદીની પ્રતિમા નર્મદા નદીના વહેણમાં તણાઇ ગઈ હતી. મહત્વનું છે કે, બે વર્ષ અગાઉ રેંગણ વાસણ ગામે નર્મદા કિનારે એક રિસોર્ટ માલિક દ્વારા આ નંદીની મહાકાય પ્રતિમા મુકવામાં આવી હતી. નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો નંદી પાસે રોકાઈ ફોટો સૂટ કરી આગળની પરિક્રમા શરૂ કરતાં હતાં.

Share

Related posts

ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

gujaratjanekta

જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાએ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પર્વ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial