પંકજ પંડિત
ઝાલોદ નગરપાલિકા દ્વારા મુવાડા વિશ્વકર્મા મંદિર પાછળ આવેલ નગરપાલિકાના સીવીલ સિટી સેન્ટર ખાતે મેદસ્વિતા શિબિર યોજવામાં આવેલ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ 100 લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત ઝાલોદ સીવીલ સીટી સેન્ટર ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવા તેમજ તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેનુ કેવી રીતે પાલન કરવું તેની જાણકારી આપી હતી. આ કેમ્પમા નગરપાલિકાના સ્ટાફ મેમ્બરોએ લાભ લીધો હતો.

