પંકજ પંડિત
ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 19-05-2025 સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપી મનરેગા હેઠળ થયેલ કામોની સાચી તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસીયા દ્વારા એક લેખિત અરજી આપી માંગ કરવામાં આવેલ હતી કે ઝાલોદ તાલુકામાં મનરેગા યોજના હેઠળ લોકોને 100 દિવસની રોજગારી મળી રહે તે હેતુથી અને જાહેર વિકાશના કામો કરવાના હોત પણ કેટલીય પંચાયતોમા બરોબર વિકાશના કામોના નામે સ્થળ પર કઈ પણ કામો કર્યા વિના એજન્સીઓ અને મળતીયાઓ દ્વારા નાણાંની ઉચાપત કરી મોટા પાયે ઝાલોદ તાલુકામાં કરોડોના ભ્રષ્ટાચાર થયેલ છે. મનરેગા કામ હેઠળ આવતા તમામ કામોની ઝીણવટભરી તપાસ કરવા પ્રાંત અધિકારી પાસે માંગ કરવામાં આવેલ હતી.ઝાલોદ તાલુકામા કેટલીય પંચાયતોમા એકજ પંચાયતોમા એક જ વિકાશના કામો થયેલ પર અલગ અલગ યોજનાઓમાં જેમકે નાણાપંચ ,એ.ટી.વી.ટી કે ટ્રાયબલની તકતીઓ લગાવીને ચેકડેમ , સી સી રસ્તા, સામુહીક કુવા, બોર વીથ મોટર, મીની એલ આઈ અને અન્ય વિકાસના નામે ગ્રાન્ટ વાપરવામાં આવેલ છે. જેની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

