ચુંટણીઓ નજીક આવતા જ ગુજરાતમાં આંદોલન અને ધરણા કરવાના શરૂ થઈ જાય છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્રારા સરકાર મા વારંવાર રજુઆતો તથા મુલાકાતો કરવામા આવી છતાં પણ સમાધાન થયેલ અને પડતર પ્રશ્નો નુ સરકાર દ્વારા કોઈ યોગ્ય નીરાકરણ લાવવામાં આવ્યું નથી.. સરકાર સાથે થયેલ સમાધાન દરમિયાન જે જાહેરાત કરવામાં આવી હતી તથા જે તે આંદોલન વખતે જે માંગણીઓ હતી તેના પણ પરિપત્ર અલગ કરવામાં આવ્યા હતા. તેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત સરકાર તથા શિક્ષણ વિભાગને 21 તારીખ નું અલ્ટીમેટમ આપી અને જણાવ્યું છે કે જો 21 તારીખ સુધીમાં આ તમામ પડતર પ્રશ્નો નુ નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સરકાર સામે 21 તારીખ બાદ રણ મેદાનમાં ઉતરી પડશે તથા ગુજરાતના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના તમામ મિત્રો પોતાના પડતર પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાથે આંદોલનમાં સહભાગી બનશે..
તથા શિક્ષકોને વિશ્વાસ અને ભરોસો છે કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પડતર પ્રશ્નો નુ સમાધાન યોગ્ય લાવશે
૨૧ તારીખ પછી આંદોલન ના વિવિધ તબક્કા જાહેર કરવામાં આવશે..

