પંકજ પંડિત
આઠ વર્ષ થી કોન્ટ્રાક્ટરને પોતાના હક્કના નાણા મળેલ નથીઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2015-16 મા કૈલાશધામ યોજના હેઠળ મુખ્ય સ્મશાનના વિકાસ અને આધુનિકરણ માટેના કામો મંજુર થયેલ હતા. આ અંગે ઓનલાઇન ટેન્ડર જય કન્સ્ટ્રકશન દ્વારા ભરવામાં આવેલ હતું. આ યોજના અંતર્ગત 31,57,350 ના કામની વહીવટી મંજૂરી જય કન્સ્ટ્રકશનને મળેલ હતી. વહીવટી મંજૂરી અન્વયે 15,00,000 થી ઉપર એટલે કે 16,,35,000 ની રકમ લોકફાળા થી ટ્રસ્ટ દ્વારા ભરવાની સંમતિ થી વહીવટી મંજૂરી મળેલ હતી. 2016 માં કૈલાશધામનુ કામ પતી જતા 10,93,613 ની લોકફાળાની રકમ લેખિત તેમજ મૌખિક રીતે માંગવા છતાંય જય કન્સ્ટ્રકશનને આપવામાં આવેલ નથી. જેથી અરજદાર દ્વારા આ નાણાં 14% વ્યાજ સાથે મળે તેવી માંગણી કરેલ છે.ઝાલોદ જય કન્સ્ટ્રકશન દ્વારા પોતાની લેણી નીકળતી રકમ અંગે ઝાલોદ તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ મુખ્યમંત્રીને પણ લેખિત અરજી કરી પોતાના હક્કના નીકળતા નાણા મળે તેવી લેખીત રજુઆતો કરવામાં આવેલ છે. આ અંગે ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફીસર ટી.બી.ભાભોર દ્વારા કાયદેસરની નોટિસ માનવ સેવા ટ્રસ્ટને ફટકારી તાત્કાલિક લોકફાળાની રકમ ભરી દેવા સૂચન કરેલ છે. જો આ નોટીસને માનવ સેવા ટ્રસ્ટ ગંભીર થી નહીં લે તો દિન 7 માં નગરપાલિકા દ્વારા આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.

