સાહિલ શેખ – પત્રકાર

સંતરામપુર નગરમાં આવેલ બગીચામાં ગૌરીવ્રત નિમિત્તે છેલ્લા દિવસે આજે પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો પરંતુ નગરપાલિકા દ્વારા સંતરામપુર નગરમાં ચીબોટા નદીની બાજુમાં બનાવવામાં આવેલા બગીચામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવાય રહેલો હતો. આખા નગરના લોકો પોતાના પરિવાર સાથે તેમજ સ્નેહીજનો સાથે ગૌરીવ્રત નિમિત્તે અહીંયા ફરવા અને આનંદ માણવા આવતા હોય છે તેમજ આ વિસ્તારમાં આવેલ ભુવનેશ્વર મંદિરના દર્શને તહેવારોમાં હજારો લોકો આવતા રહે છે તેમ છતાં તે પણ આજુબાજુના જાડી જાખરા થી ઘેરાયેલું રહે છે. છેલ્લા કેટલાય સમયથી સફાઈ કામ પણ કરવામાં આવેલ નથી.
જ્યારે આ સ્થળ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવે પર્યટકો વહેલા નીકળી જતા હોય છે. સંતરામપુર નગરપાલિકા આવા તહેવાર નિમિત્તે પણ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં અસમર્થ રહી છે ત્યારે અહીથી પસાર થતા સૌ કોઈ નગરના લોકો મનમ઼ાં મુંજાઈ ગયા હતા. કોરોનાના બે વર્ષ બાદ આજે ગૌરી વ્રત ઉજવાતા અને લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો પરંતુ નગરપાલિકાની વહીવટી અને તેમની નિષ્કાળજીના કારણે સંતરામપુરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

