Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સિદ્ધપુર મા શ્રીમદ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહ ઉજવાયો

સિદ્ધપુર મા અંબાવાડી ખાતે બિરાજમાન જગત જનની મા અંબાના આશિર્વાદ થી , માં અંબા ના ચાચર ચોક મા અંબા સ્વરુપ મહિલા મંડળ ની બહેનોના અથાગ પ્રયાસો તેમજ કોરોના કાળ મા આપણે સૌએ ગુમવેલા આપણા સ્વજનો ના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ નુ આયોજન કરવામાં આવેલ છે.
શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ ના આજ તા.૨૪-૦૪-૨૦૨૨ ના પ્રથમ દિવસે સિદ્ધપુર નગર મા બહેનો દ્રારા સાંજે પોથી યાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામાં મહિલાઓ , બહેનો જોડાયા હતા અને પોથી પૂજન કરવામાં આવ્યું હતું.
આ શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ ના કાર્યક્રમ મા પ્રજ્ઞાપુત્રી ડૉ. શ્રીમતી મમતાબેન પંડિત , રાજકીય પક્ષ ના આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. રાત્રે પ્રજ્ઞાપુત્રી મમતાબેન પંડિત દ્રારા લોકો ને ભાગવત જ્ઞાન રૂપી રસપાન કરાવ્યું હતું. આ તમામ કાર્યક્રમ નું સુંદર આયોજન સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ તેમજ અંબાજી માતા ટેમ્પલ કમિટી અને મહિલા મંડળ ,તેમજ પાલનપુર , અમદાવાદ , મુંબઇ , વડોદરા , મહેસાણા અને સુરત ની મહિલા પાંખ ની બહેનો દ્રારા આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કૃષ્ણ જન્મોતસવ , ઋકમણી વિવાહ વગેરે ધાર્મિક પ્રસંગો નુ આયોજન કરવામાં આવશે.

Share

Related posts

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

Admin

ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ

gujaratjanekta

ગુજરાત હાઇકોર્ટનો આદેશ : ભાદર નહેર – પાનમ યોજના વર્તુળના 2 કામદારોને નોકરી અને સરકારી લાભ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial