Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી ચૂંટણી માટેનું મતપત્ર જાહેર કરવામાં આવ્યું

પંકજ પંડિત

1078 મતદારો સાત સભ્યો માંથી ત્રણ વ્યક્તિને ચૂંટી કારોબારીમાં સ્થાન આપશેઝાલોદ નગરની સહુ થી મોટી શૈક્ષણિક સંસ્થામા વહીવટ કરવા માટે કારોબારી સભ્ય માટેની ચૂંટણી તારીખ 04-05-2025 ના રવિવારના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી યોજાવાની છે. આ ચૂંટણી જંગમાં કુલ સાત કેળવણી મંડળના સભ્યો કારોબારીમા જવા ચૂંટણી લડી રહેલ છે. કેળવણી મંડળમા 1078 સભ્યો છે આ 1078 સભ્યો તારીખ 04-05-2025 ના રોજ બી.એમ.હાઈસ્કૂલ ખાતે ચાર અલગ અલગ બુથોમા જઈ મતદાન કરવાના છે એક બુથમા ક્રમ નંબર મુજબ અંદાજીત 250 મતદારો મતદાન કરશે.કેળવણી મંડળ દ્વારા ચૂંટણી જંગમા ઉભા રહેલ ઉમેદવારો માટેનું મત્રપત્ર ક્રમ મુજબ બહાર પાડેલ છે .મત્રપત્ર મુજબ ક્રમ નંબર (1) જસવંતકુમાર અમૃતલાલ પંચાલ (2) જીતેન્દ્રકુમાર બાલમુકુન્દ આચર્ય (3) દિલીપભાઈ રમણભાઈ પટેલ (4) પરેશભાઈ લાલચંદભાઈ પંચાલ (5) પાર્થકુમાર કિરણભાઈ પટેલ (6) અતુલકુમાર નાથાલાલ પટેલ (7) પટેલ અ.રજાકભાઈ ઈબ્રાહીમભાઈ ચૂંટણી જંગમાં ઉભા રહેલ છે.ઉપરોક્ત સાત સભ્યો માંથી ત્રણ વ્યક્તિઓને કેળવણી મંડળના સભ્યો દ્વારા ચૂંટીને લાવવામાં આવનાર છે.

Share

Related posts

ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું

gujaratjanekta

શક્તિ સર્વધન 24 કુંડીયા ગાયત્રી મહાયજ્ઞ ફતેપુરા માં યજ્ઞમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉપસ્થિત રહી મહાઆરતી નો લાહવો લીધો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial