Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગોધરા ખાતે રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આઈ.ટી.આઈ.આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજાઇ

રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના આઈ.ટી.આઈ.આચાર્યશ્રી સાથે જિલ્લાઓમાં ચાલતા વિવિધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોની સમીક્ષા, ચર્ચા અને માર્ગદર્શન માટે આઈ.ટી.આઈ. ગોધરા ખાતે બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રીએ ત્રણેય જિલ્લામાં ચાલતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી, આગામી સમયમાં આઈ.ટી.આઈ. અપગ્રેડેશન માટે ઉદ્યોગ એકમો સાથે મળીને ઉચ્ચતમ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોના અસરકારક અમલીકરણની કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો.
ઉપરાંત સાંસદશ્રીએ આઈ.ટી.આઈ.,ગોધરા તથા ગોધરા મહિલા આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડ, વર્કશોપની મુલાકાત કરી ઇન્સ્ટ્રકટર તથા તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમજ આગામી સમયમાં આઈ.ટી.આઈ.માં નવીન ક્ષેત્રોને લગતા કોર્ષ ચલાવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે વડોદરા રીજીયન નાયબ નિયામકશ્રી એ.આર. શાસ્ત્રી , દાહોદ આઈ.ટી.આઈ. આચાર્ય શ્રી ડી.પી. મકવાણા , ગોધરા આઈ.ટી.આઈ. આચાર્યશ્રી ડી.જે. વરમોરા અને અન્ય ગ્રાન્ટ ઈન એઇડ, સેલ્ફ ફાઇનાન્સ, સરકારી આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી તથા ઉદ્યોગ એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.

Share

Related posts

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલીત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દાહોદ જિલ્લામાં પ્રથમ આવી સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે,કોંગ્રેસની યાદીમાં વિગતો સામે આવી

gujaratjanekta

ઝાલોદ નગરમાં ‘સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી’ નિમિત્તે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial