સંકેત પંડ્યા – એડિટર
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ફરીથી એકવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ મેદાને ઉતરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ભાજપની સેન્સ પ્રક્રિયા વખતે જ તેમની સામે કોઈએ પણ દાવેદારી નહીં કરી હોવાની વિગતો સૂત્રો પાસેથી સામે આવી હતી. તેવામાં હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે બહાર પાડવામાં આવેલ 43 ઉમેદવારોની યાદીમા દિગ્ગજ નેતા અને વકીલ અમીબેન યાગ્નિકને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપી છે. જેથી આ બેઠક પર સીએમ સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબેન યાગ્નિક ચુંટણી લડશે.
આ બેઠક પર ચુંટણી જંગમાં ઊતરેલ અમીબેન યાજ્ઞિક અંગે વાત કરીએ તો તેઓ વકીલાતના ક્ષેત્રમાં નિષ્ણાંત છે અને ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને ઉચ્ચ કક્ષાની પણ ડિગ્રી ધરાવે છે.તેઓ ક્લીન છબી ધરાવતા નેતા છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ છે. તેઓ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પણ તેઓ છે.સંગઠનમાં પણ મોટી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.આ ઉપરાંત તેઓ કોંગ્રેસ પ્રવક્તા પણ છે.સ્થાનિક પ્રશ્નોને લઈને તેઓ એક્ટિવ છે. ત્યારે તેમણે કોંગ્રેસે ચુંટણીના મેદાને જંગમાં ઉતરમાં આવ્યા છે.

