Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વધુ વરસાદ પડવાથી પાણી પાનમ નદીમાં છોડતા ડોકવા ખાતે આવેલ મહાદેવના મંદિરના પાયાની દીવાલ ધરાસાઈ થઈ!?

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મોટા ડોકવા ગામે અને પાનમ નદી કીનારે આવેલ સ્વયં ભુ તપેશ્વર મહાદેવનુ અતિ પ્રાચીન મંદીર આવેલ છે. જયારે 1972 તેમજ 1973 મા નદીમાં મોટાપાયે પુર આવ્યો હતો તે સમય દરમિયાન મહાદેવ ભગવાન અને બાળસ્વરૂપે પાર્વતી સાથે મંદીરે પ્રદશિણા કરેલ તેવો ચમત્કાર થયેલ હતો. જયારે મંદિરના સંરક્ષણ માટે ગ્રામજનો દ્વારા લાખો રૃપિયાના ખર્ચ દીવાલ બનાવામાં આવેલ હતી પંરતુ મહીસાગર જીલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન પાનમ નદીના પાણીનો આવકનો સ્ત્રોત વધતા પાનમ ડેમના દરવાજાઓ ખોલી નાખતા પાનમ નદી ગાંડીતુર બની હતી અને પાનમ નદીના ધમધમતા પ્રવાહને લઈને પાનમ નદીનુ પાણી મંદીરના પાયા સુધી ફરી વળતા મંદીરના પાયાની દીવાલ ધરાસાય થઈ હોય તેમ લાગી રહ્યું છે !!

ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે કે જ્યારે સમયચુકતા સાથે પાણી છોડવામા આવેલ હોય તો હાલ આ ઘટના સર્જાઈ ન હોત. હાલ મંદિરમાં થયેલ નુકસાનને લઈને સરકાર દ્વારા રાહત આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવેલ હતી.

Share

Related posts

કિશ્તવાડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે અથડામણ, સેનાએ હાથ ધર્યું ઓપરેશન ત્રાશી-1 – જુઓ Video

gujaratjanekta

“નેશનલ સ્પોર્ટસ ડે” નિમિત્તે રમતજગતના કેટલાક મહત્વના યાદગાર પ્રસંગોથી અવગત કરાવતા સ્પોર્ટસ જર્નાલિસ્ટ પ્રદિપ ત્રિવેદી

gujaratjanekta

માંડવીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial