સોલંકી કિશોરસિંહ,
દાહોદ જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. જિતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર રહેવાસી ઝાંબપૂર્વ તા. સુખસર જિ. દાહોદ નામઓ ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા કરેલ એમ.ઓ.યુ. મુજબ મૃતકનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સેલરી એકાઉન્ટ હોય અને ચાલુ ફરજમાં અવસાન થાય તો એમ.ઓ.યુ. મુજબ તેમને SBI બેંક તરફથી રૂ. 1 એક કરોડ તથા અન્ય લાભ મળવાપાત્ર છે. જેથી ગુરૂવારના રોજ સ્વ. જિતેન્દ્રભાઈ સોમાભાઈ મછારના પત્નીને SBI બેંક તરફથી મળવાપાત્ર લાભના નાણાંનો ચેક પોલીસ અધિક્ષક રવિરાજ જાડેજા જી. દાહોદ નામની અધ્યક્ષતામાં આપવામાં આવ્યો હતો.

