પંકજ પંડિત
સ્વચ્છતા સર્વેક્ષણમા ઝાલોદનો ભારતમાં 96 મો નંબર તેમજ રાજ્યમા 29 મો નંબરભારત સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા અભિયાન હેઠળ સર્વેક્ષણ કરવામાં આવતા હોય છે. આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ 2024 મા ઝાલોદ નગરપાલિકા દ્વારા પણ ભાગ લેવામાં આવેલ હતો. 2024 મા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લેવા માટે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ઓફીસર દિપસિંહ હઠીલા દ્વારા ભાગ લઈ સફાઈમા વિશેષ આયોજન કરી ટીમ બનાવવામાં આવેલ હતી ત્યારબાદ નગરપાલિકાની નવા ચૂંટાયેલ કાઉન્સિલરો તેમજ હાલના ચીફ ઓફિસર ટી.બી.ભાભોર દ્વારા પણ સ્વચ્છ ઝાલોદ કેવી રીતે રહે તે માટે સતત કામગીરી કરી રહેલ હતા. સ્વચ્છત ઝાલોદ અભિયાનના સપનાને સાકાર કરવા સેનેટરી ઈન્સ્પેક્ટર વૈશાલીબેન.એ.ભૂરીયા અને સફાઈ સુપર વાઈઝર અને સફાઈ કામદારો તેમના સહયોગી ટીમ દ્વારા સ્વચ્છતા માટે નિયમિત કાળજી લઈ ઝાલોદમા નિયમિત સફાઈની તકેદારી રાખવામાં આવતી હતી તેમજ આ કાર્યમા નગરના નાગરિકોનો પણ સુંદર સહકાર થકી ભારત સરકાર દ્વારા જાહેર કરેલ સ્વછતા સર્વેક્ષણ 2024 ના સ્વછતા સર્વેક્ષણમાં ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ લીધેલો હતો.જેમાં સ્વચ્છ શહેરમાં ઝાલોદ નગરપાલિકાએ નેશનલ લેવલે 96 મો રેન્ક અને રાજ્યમાં 29 મો રેન્ક અને વડોદરા ઝોનની નગરપાલિકામાં ઝાલોદ નગરપાલિકા 5 મો રેન્ક મેળવેલ છે. 2023 વર્ષની કામગીરી કરતા 2024 ની સ્વચ્છતા લક્ષી ઉત્તમ કામગીરી નગરમાં જોવા મળેલ છે તેમજ આગામી સમયમાં ઝાલોદ સ્વચ્છતા સર્વેક્ષણમાં વધુ આગળ આવે તે માટે ઝાલોદ નગરપાલિકાની ટીમ કાર્યરત છે.

