Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત 11 મોબાઈલ 2,11,989 રૂપિયાના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના હસ્તે પરત કરાયા

પંકજ પંડિત

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં 11 મોબાઈલ ખોવાઈ ગયેલ હોવાનો ગુન્હો નોંધાયેલ હતો તે અંતર્ગત ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ આઈ.ટી એક્સપર્ટ જાબીરભાઈ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સના માધ્યમ થી અગ્યાર મોબાઈલ અંદાજીત 2,11,989 ના તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
ગરાસિયા પપ્પુભાઈનો 29,999 નો મોબાઈલ બાઇક પર થી પડી ગયેલ, વિશાલ માળીનો 15,999 નો મોબાઈલ ઘરની પાસે થી ખોવાઈ ગયેલ, વણઝારા કાગુભાઈનો 22,999 નો મોબાઈલ ઘરની આસપાસ પડી ગયેલ, ઈમ્તિયાઝ રહીમ નો 17,999 નો મોબાઇલ ગોયલ પેલેસ પાસે પડી ગયેલ, ડામોર અનિલ નો 10,999 નો મોબાઈલ રીક્ષા માથી પડી ગયેલ, મુનિયા રવિન્દ્રનો 13,999 નો મોબાઈલ દેવજીની સરસવાણી રોડ પર, ડામોર આશીષભાઈ નો 23,999 નો મોબાઈલ જાફરપુરા થી દુકાને જતા પડી ગયેલ, ડામોર સુભાષ નો 33,999 નો મોબાઈલ છાસીંયા થી ઘરે જતા પડી ગયેલ, ગણાવા જંગાલભાઈ નો 14,999 નો મોબાઈલ રસ્તા પર ક્યાંક પડી ગયેલ, મુનિયા મેહુલભાઈનો 11,499 નો મોબાઈલ લીમડી થી ઝાલોદ આવતા પડી ગયેલ હતો. તેમજ એક અન્ય વ્યક્તિ નો 15,499 નો મોબાઈલ મળી આવેલ હતા.
આ તમામ મૂળ મોબાઈલ માલિકોને પોતાના મોબાઈલ પરત મળતા ચહેરા પર ખુશી જોવા મળતી હતી તમામ મોબાઈલ માલિકોને મોબાઈલ મળતા તમામ લોકોએ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Share

Related posts

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાનોના ઓટલા તોડતા વ્યાપારીઓ મા રોષ

gujaratjanekta

દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.૯ માર્ચના નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

gujaratjanekta

લેખિકા પ્રાચી વોરાનું “ભગવદ્ ગીતા અને યુવાનો” નામના પુસ્તકનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા ના હસ્તે વિમોચન – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial