પંકજ પંડિત
દક્ષિણ ગુજરાત સહમંત્રી પ્રવીણ ગજેરા, દિલીપભાઈ રાણા પંચમહાલ વિભાગ મંત્રી વિશેષ હાજર રહ્યાવિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ પ્રતિવર્ષ ધર્મરક્ષા નિધિ સમર્પણ અંતર્ગત ભારત દેશમાં સ્વનિધિ ભંડોળ એકત્ર કરતા હોય છે તે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ ઝાલોદ સાથે મળી નગરમાં લોક સંપર્ક કરી સ્વનિધિ ભંડોળ એકત્ર કરવા માટે જન સંપર્ક કરવા નીકળેલ હતા. રાષ્ટ્રપ્રેમને વરેલા આ વિશાળ સંગઠનના નિભાવ માટે હિન્દુ સમાજના શ્રેષ્ઠીઓ,સંતો મહંતો, ધાર્મિક સંસ્થાઓ તેમજ નાગરિકો પાસે જન સંપર્ક કરી ધર્મરક્ષા નિધિ એકત્ર કરવા માટે નગરમાં પરિભ્રમણ કર્યું હતું.દક્ષિણ ગુજરાત સહમંત્રી પ્રવીણ ગજેરા, દિલીપભાઈ રાણા પંચમહાલ વિભાગ મંત્રી , દાહોદ જિલ્લા મંત્રી રાહુલ રાઠોડ, ઝાલોદ પ્રખંડ પ્રમુખ અંકુર પરમાર , પ્રખંડ મંત્રી રાહુલ પ્રજાપતિ , સંયોજક દીક્ષિત શર્મા, વ્રજ ભાટીયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દેશમાં સંગઠન મજબૂત બને તે માટે ધર્મરક્ષા નિધિ માટે નગરમાં ભ્રમણ કરેલ હતું. નગરજનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના આ કાર્યને આવકારતાં સુંદર સરકાર આપવામાં આવેલ હતો.

