Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને ધોળા જં. સ્ટોપેજ નહીં અપાતા અન્યાય .

 સંકેત પંડ્યા – એડિટર
તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરાયેલી ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને ધોળા (જં.) ખાતે સ્ટોપેજ નહીં ફાળવાતા ઉમરાળા અને ઢસા સહિતની હજારોથી વધુ જનસંખ્યાને અન્યાય થઇ રહયો છે. જો ધોળા (જંકશન) આ ટ્રેનનું સ્ટોપજ ફાળવાય તો ખાસ કરીને ઉમરાળા અને વલભીપુર તાલુકાના લોકોને આ સુવિધાનો લાભ મળી શકે તેમ છે. એક તો વિલંબથી ટ્રેન ચાલુ થઇ છે તેમાં જે સ્ટોપજ ફાળવાયા તેમાં ધોળા જંકશન ખાતે હોલ્ટ નહીં આપીને ઉમરાળા,વલભીપુર, ઢસા પંથકના લોકોને ભારે અન્યાય થઇ રહયો છે.ભાવનગરથી ઉપડતી આ ટ્રેનને ભાવનગર પરા,સિહોર,બોટાદ,ધોળકા,ધંધુકા,સરખેજ,વસ્ત્રાપુર,ગાંધીગ્રામ સ્ટોપ અપાયો છે પણ બે તાલુકા વલભીપુર અને ઉમરાળા તાલુકાના અનેક ગામોને ઉપયોગી આ ટ્રેનને ધોળા જંકશન જેવા મોટા સ્ટેશનને સ્ટોપ કેમ ન અપાયુ તેવુ લોકો કહી રહયાં છે. ખરેખર તો રેલવે તંત્રએ આવતા મોટા ધોળા જં.ને સ્ટોપેજ નહીં આપીને આ વિસ્તારની જનતાને અન્યાય કરાયો છે તેવી લોકો લાગણી અનુભવી રહયા છે અને રેલવે તંત્ર સામે રોષ વ્યકત કરી રહયાં છે. ભાવનગર અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન સોનગઢ સ્ટેશનને પણ ઉભી રહેવી જોઇએ તેમ મોઢેશ્વરી યુવક મંડળના રમેશચંદ્ર શાંતીલાલ પારેખે માંગ કરી છે.
Share

Related posts

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Admin

ભાવનગર માં વડાપ્રધાન મોદી ને અભેદ્ય સુરક્ષા કવચ પુરૂ પડાશે

Admin

ઝાલોદ નગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial