Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ વૈશ્વિક શાંતિના વિશાળ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત દ્વારા ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 ઉજવી રહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના 60 વર્ષ પૂર્ણ થયેલ છે તે માટે ગુજરાતના તમામ કેન્દ્રો પર વિશાળ સ્તરે કરવામાં આવેલ છે. ગુજરાતના 500 જેટલા શહેરો, નાગરોમાં તથા 5000 જેટલા ગામોમાં આયોજિત આ શાંતિ પદયાત્રામા બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ lબહેનો એક જ દિવસે…એક જ સમયે…મૌનના મંત્ર સાથે શાંતિદૂત બનીને પદયાત્રામા સામિલ થયેલ હતા. તે અંતર્ગત ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મીતાદીદી દ્વારા હીરક જયંતીના દિવસે વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણ હેતુ નગરમાં શાંતિ પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા નગરના અલગ અલગ રાજમાર્ગો પર શાંતિ મંત્ર સાથે નીકળી હતી. આનો મુખ્ય ઉદ્દેશ વિશ્વની અંદર શાંતિનો ફેલાવો થાય, વિશ્વની અંદર પ્રકૃતિના પાંચ તત્ત્વો અને સર્વ મનુષ્ય આત્મા શાંતિ થી જીવે એટલા માટે આ શાંતિ મૌન રાખી દરેક ભાઈ બહેનો પોતાના જીવનમાં પાંચ મિનિટ પરમાત્માને શાંતિ પૂર્વક યાદ કરે અને પૂરા વિશ્વને શાંતિની રાહ ચીંધી શાંતિનો સંદેશ પાઠવે તેઓ મુખ્ય આશય છે.

Share

Related posts

ચંદીગઢ મુકામે એપ્રિલ રવિવારે , સેવા ભારતી ભવન , સેક્ટર 29 માં આરોગ્ય ભારતી ની એક દિવસીય ક્ષેત્રીય કાર્ય શાળા યોજાઈ .

gujaratjanekta

ઝાલોદ પાટીદાર સમાજ દ્વારા બસ સ્ટેશન ચોક પર સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ જલ્દી કરવા માંગ કરવામાં આવી

gujaratjanekta

વાગધર સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના વઘેલા ગામમાં પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial