મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યનાં વધુ નવા 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ નવા તાલુકા (New Talukas) સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 થશે.
સંતરામપુર અને શહેરા માંથી ગોધર નવો તાલુકો
લુણાવાડા માંથી – કોઠંબા
દેડિયાપાડા માંથી- ચીકદા
વાપી કપરાડા અને પારડી તાલુકા માંથી- નાનાપોઢા નવો તાલુકો
થરાદ માંથી- રાહ
વાવ માંથી- ધરણીધર
કાંકરેજ માંથી- ઓગડ
દાતા માંથી- હડાદ
ઝાલોદ તાલુકા માંથી- ગુરુ ગોવિંદ લીંબડી
જેતપુર પાવી માંથી- કદવાલ
કપડવંજ અને કઠલાલ માંથી- ફાગવેલ
ભિલોડા માંથી- શામળાજી
બાયડ માંથી- સાઠંબા
સોનગઢ માંથી- ઉકાઈ
માંડવી માંથી- અરેઠ
મહુવા માંથી- અંબિકા
ફતેહપુરા માંથી-સુખસર

