પંકજ પંડિત
પશ્રિમ બંગાળમાં મહિલા તબીબ ઉપર રેપ અને હત્યાના મામલાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. એક તરફ નારી સશક્તિકરણની વાત અને એક તરફ મહિલા તબીબ ઉપર અત્યાચાર, કેવી રીતે ચલાવી લેવાય…?..આ ઘટનાને કદવાળના ડોક્ટરર્સ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આ મામલે ત્વરિત તપાસ થાય અને ગુનેગારને સજા મળે તેવી માંગણી કરવામા આવી હતી.
સમગ્ર ભારતમાં તારીખ 17.8.2024, તમામ ડૉકટરો દ્વારા દેશવ્યાપી હડતાલનો આયુર્વેદિક એન્ડ હોમિયોપેથીક ડોક્ટર એસોસિએશનના યુનિટના તમામ સભ્યો દ્વારા સમર્થન આપી દવાખાનાઓ તા: 17 ઓગસ્ટ, શનિવારના રોજ બંધ રાખવામાં આવ્યા હતા.

