ઝાલોદ પંચાલ સમાજ નું ગૌરવ.અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ ગુજરાત પ્રાતના અધ્યક્ષ જયંતીભાઈ એમ પંચાલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે આજરોજ મળેલ પ્રાંત કારોબારી સમિતિની મિટિંગમાં દાહોદ જિલ્લા એકમના અધ્યક્ષ તરીકે ઝાલોદના ભુપેન્દ્રભાઈ હસમુખલાલ પંચાલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
ઝાલોદ નગરના કોઈપણ ધાર્મિક કાર્યો અને ઉત્સવોની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક સક્રિય સહયોગી બનતા શ્રી વિશ્વકર્મા મંદિર સમિતિ ના ઉપાધ્યક્ષ તરીકે સેવારત ભુપેન્દ્ર ભાઈની નિમણુંક પંચાલ સમાજના જિલ્લા – તાલુકાના સૌ અગ્રણીઓએ અને નગરના સૌ આગેવાનોએ નિમણુંક ને વધાવી ને અભિનંદન પાઠવ્યા હતા.

