:- ભગવાન ગણેશને રીઝવવા અનેરી સાધના : પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન,કરછ પત્રકાર સંગઠન દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં 11.15 કલાક ઢોલવાદન સાથે સાધના
ભુજ:-
ગણેશ મહોત્સવમાં ગજાનંદને રીઝવવા માટે ભાવિકો અવનવી અને અનેકવિધ આરાધના કરતા હોય છે. ત્યારે કરછના જાણીતા કલાકાર જીગર ભટ્ટ એ સતત 11.15 કલાક સુધી અખંડ ઢોલ-વાદન કરી પશુ-પક્ષીઓના લાભાર્થે અનેરી સાઘના કરી છે એકધારૂ સતત અને વચ્ચે બિલકુલ બ્રેક વગર સતત સવારે 11 થી રાત્રે 10.15 કલાક સુધી કરછ પત્રકાર સંગઠન દ્વારા આયોજિત ચતુર્થ ગણેશ મહોત્સવમાં લયબધ્ધ રીતે ઢોલ વાદન કરી મહાઆરતી બાદ રાજેન્દ્રસિંહ જાડેજા તથા મનિષભાઈ બારોટ સહિત પત્રકાર મિત્રોના હસ્તેપારણા કર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ અખંડ 36 કલાક, 27 કલાક અને 25 કલાક સુઘી અખંડ ઢોલ સાધના કરી છેં આ સંદર્ભે ભક્તો દ્રારા આ કલાકારને લોકચાહના આપી પ્રોત્સાહિત કરાયા છેં.

