ઝાલોદ તાલુકામાં .૧૫મી ઓગસ્ટ નિમિતે સમગ્ર ગુજરાતમાં ગ્રામસભાઓ યોજાઈ.ઝાલોદ તાલુકાના ગ્રામ પંચાયત ઘોડીયા ખાતે આજરોજ ૧૫મી ઓગસ્ટ ના શુભ દિને સમગ્ર ગુજરાતમાં તમામ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાઓ યોજાઈ તેમાં દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની ઘોડીયા ગ્રામ પંચાયત ખાતે પણ ગ્રામ સભા યોજાઈ હતી તેમ વિસ્તૃત માહિતી અને સોલાર ઉર્જાઓ સબસીડી લગતી સોલાર ઉર્જાની પણ માહિતી ગામ લોકોને ચર્ચા કરવામાં આવી અને રોડ સેફટી માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા કે બાળકોને ગાડીઓ આપવાનું બંધ રાખો તેમજ અવાર નવાર એક્સિડન્ટ થતા અટકવવામાં માટે પણ લોકોને સૂચન કરવામાં આવ્યા છે અને જાણ કરી કે નાના બાળકોને ઘર માંથી ગાડીઓ આપવી નહીં જેથી તમામ ગામ લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને જે લોકોને પાણીની સમસ્યા છે તેવા લોકોને મનરેગા યોજનમાંથી સામુહિક જૂથ સિંચાય કુવા પણ કરે અને પાણી પૂરતા પ્રમાણ માં મળી રહે તેવી ગામ લોકો જોડે ચર્ચા કરવામાં આવી છે.આ ગ્રામસભામાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ અવસરકુમાર.એસ.અડ અને તલાટી કમમંત્રી ભરતભાઈ ગોરસણીયા અને રિટાયેડ એન્જીનિયર લીમજીભાઈ અડ સહિત ગામમાંથી પધારેલ વડીઓ,ભાઈઓ અને બહેનો જેવા ઉપસ્થિત રહ્યા હતા.

