Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભવ્ય ભાગવત કથાના આયોજન અંગે નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી ભવ્ય કથાનું આયોજન

પંકજ પંડિત

સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી ભવ્ય કથાનું આયોજનઝાલોદ નગરમાં પ્રથમ વાર ભારતના દિવ્ય અને પ્રખર કથાકાર તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ કથાનું આયોજન સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી કરવામાં આવી રહેલ છે. સ્વ: શીવાભાઈ પટેલના પુત્ર અંકુર પટેલ અને તેમના પરિવારજનો દ્વારા આ અંગે મુવાડા રામજી મંદિર ખાતે સમાજની મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં એક જ સૂર જોવા મળતો હતો કે આ કથાને નગરમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળે તે રીતે આયોજન કરવાનું. નગરમાં પ્રથમ વખત રમેશભાઈ ઓઝાની ભાગવત કથા યોજાઈ રહેલ છે તેને લઈ નગરજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. આ કથા માટે શિવાભાઈ પટેલના પુત્ર અંકુર પટેલ અને તેમના પરિવારજનો નગરના દરેક સમાજના તન અને મન થી સહયોગ મળે તે માટે અલગ અલગ મીટિંગ કરી રહેલ છે તેમજ મીટિંગમા વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારી નિભાવી શકે તેવા લોકોની અલગ અલગ કામગીરી માટેની કમિટી બનાવવામાં આવી રહેલ છે. જ્યાં જ્યાં અલગ અલગ સમાજ સાથે મીટિંગ થઈ રહેલ છે ત્યાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહેલ છે. આ ભાગવત કથામાં તમામ સમાજો આ જ્ઞાનપારાયણનો લાભ લે તે માટે મોટા પ્રમાણમાં આયોજનની રૂપરેખા બનાવવામાં આવી રહેલ છે. કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે આ કથા નગરમાં 25-12-2025 થી 31-12-2025 સુધી બપોરના 3 થી સાંજના 6:30 વાગ્યા સુધી પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ વણકતલાઈ મંદિર રોડ ઝાલોદ ખાતે યોજવામાં આવનાર છે.

Share

Related posts

માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈ દવેએ રોજગારીને વધારવા માટે જીએચસીએલ ફાઉન્ડેશનની વીટીઆઈનું ઉદ્ઘાટન કર્યું

gujaratjanekta

ઝાલોદ પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રાના આયોજન અર્થે મીટિંગ યોજાઈ

gujaratjanekta

માગશરી પુનમે ગુરુ ગોવિંદ જયંતિ અને ભીલોના બલિદાન નિમિત્તે હજારો લોકો માનગડ ધામે ભેગા મળ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial