ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા થી સંતરામપુર જતી બસનું ટાયર ઉખરેલી રોડ ઉપર નીકળી જતા ડ્રાઇવરની સમય સૂચકતા ના કારણે મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી
સંતરામપુર થી ફતેપુરા અને ફતેપુરા થી સંતરામપુર જતી સંતરામપુર ડેપોની એસટી બસનાં ડ્રાઇવર સનાભાઇ સોમાભાઈ ખાંટ તેમજ કંડકટર વીરાભાઇ માલાભાઈ ડામોર જેવો બસનં Gj 18 Z8436 લઈને સંતરામપુર થી ફતેપુરા આવ્યા હતા અને ફતેપુરા થી સંતરામપુર તરફ રિટર્ન જતી વેળાએ બસનું ટાયર ફતેપુરા બસ સ્ટેશન થી નીકળતા જ ઉખરેલી રોડ પર ચાલું બસ નું ટાયર બહારની બાજુ નીકળતા સ્થાનિક વ્યક્તિએ બૂમ મારતા ડ્રાઇવરની સમયસૂચકતા થી બસને સાઈડમાં તાત્કાલિક ઊભી કરી દેવામાં આવી હતી સદનસીબે બસમાં મુસાફર ન હતા તથા બસનું ટાયર સંપૂર્ણ બહાર નીકળી ગયું હોય તો બસ પલટી મારી જતાં જો બસ એ પલટી મારી હોત તો મોટી દુર્ઘટના ગતિહોત આ બાબતે બસના ડ્રાઇવર નો સંપર્ક કરતા તેની પૂછપરછ કરતા ડ્રાઇવર જણાવ્યું હતું કે બસને સવારે જ સર્વિસ કરાવીને બસ ડેપો પર થી લાવવામાં આવી હતી ત્યારે કઈ રીતે આ ટાયર નીકળ્યું છે એની અમને ખબર નથી તેવું જણાવ્યું હતું ત્યારે બસની સર્વિસ કરવામાં નિષ્કાળ જે છે કે પછી બીજી કોઈ ટેકનીકલ ખામી તે તપાસનો વિષય

