Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રાવણ માસમાં જાનમારિયા મહાદેવ મંદિર ભક્તોથી ઉમટ્યું, પાંડવકાલીન ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ

પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુંના ગાઢ જંગલમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક જાનમારિયા મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ચોમાસાની ઋતુમાં અહીં ચારેય બાજુ હરિયાળી અને કુદરતી સૌંદર્ય વચ્ચે વહેતો ધોધ મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. આ અદ્ભુત વાતાવરણને માણવા અને ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.આ મંદિરનું નામ “જાનમારિયા” પડવા પાછળ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. એવું મનાય છે કે એક સમયે આ વિસ્તારમાંથી એક વરરાજા પોતાની જાન સાથે પસાર થઈ રહ્યા હતા. અચાનક આખી જાન વરરાજા સહિત રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. આ ઘટના બાદ મંદિરનું શિવલિંગ પણ ગાયબ થઈ ગયું હતું. આ પૌરાણિક કથાને કારણે આ મંદિરનું નામ જાનમારિયા મહાદેવ પડ્યું છે. આ મંદિર પાંડવકાલીન સમયનું હોવાનું પણ માનવામાં આવે છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્વ છે. જાનમારિયા મહાદેવ મંદિરમાં આવતા ભક્તોને કુદરતી વાતાવરણની સાથે સાથે પ્રાચીન ઇતિહાસની અનુભૂતિ પણ થાય છે. ભક્તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવી પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Share

Related posts

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા નમો કે નામ રક્તદાન અંતર્ગત 30 યુનિટ રક્ત એકત્ર કરાયું

gujaratjanekta

દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

દાહોદ જિલ્લા આર.ટી.ઓ , ટ્રાફિક વિભાગ , ઝાલોદ પોલિસ, એસ.ટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકીંગ સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial