Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રાવણ માસમાં જાનમારિયા મહાદેવ મંદિર ભક્તોથી ઉમટ્યું, પાંડવકાલીન ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ

પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુંના ગાઢ જંગલમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક જાનમારિયા મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ચોમાસાની ઋતુમાં અહીં ચારેય બાજુ હરિયાળી અને કુદરતી સૌંદર્ય વચ્ચે વહેતો ધોધ મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. આ અદ્ભુત વાતાવરણને માણવા અને ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.આ મંદિરનું નામ “જાનમારિયા” પડવા પાછળ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. એવું મનાય છે કે એક સમયે આ વિસ્તારમાંથી એક વરરાજા પોતાની જાન સાથે પસાર થઈ રહ્યા હતા. અચાનક આખી જાન વરરાજા સહિત રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. આ ઘટના બાદ મંદિરનું શિવલિંગ પણ ગાયબ થઈ ગયું હતું. આ પૌરાણિક કથાને કારણે આ મંદિરનું નામ જાનમારિયા મહાદેવ પડ્યું છે. આ મંદિર પાંડવકાલીન સમયનું હોવાનું પણ માનવામાં આવે છે.શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનું વિશેષ મહત્વ છે. જાનમારિયા મહાદેવ મંદિરમાં આવતા ભક્તોને કુદરતી વાતાવરણની સાથે સાથે પ્રાચીન ઇતિહાસની અનુભૂતિ પણ થાય છે. ભક્તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવી પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Share

Related posts

ફતેપુરા તાલુકાનો દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તારીખ 17 9 2024 ને મંગળવારના રોજ યોજાશે શ્રી આઇ કે દેસાઈ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં દસમાં તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

gujaratjanekta

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા દાહોદ રેલ્વે કારખાને વિસ્તારના નીચે મુજબની ભેટ આપવામાં આવી રહી છે. ભારતીય રેલ્વેના 9000HP ઇલેક્ટ્રિક લોકોના ઉત્પાદન એકમોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

જૂનાગઢના ધારાસભ્યને પાંચ દિવસમાં છેડતી તથા પજવણીની પાંચ ફરિયાદો મળી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial