પંકજ પંડિત
ઝાલોદ ખાતે મુહમ્મદી જમાતખાનામાં મુસલમાન ઘાંચી સમાજના મુસ્લિમ યુવા ગૃપ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024- 25 માં ધોરણ 9 થી 12 માં ઉત્તીર્ણ થયેલા વિધાર્થીઓ માટે ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 9 થી 12 માં મુસલમાન ઘાંચી સમાજ,ઝાલોદમાં પ્રથમ ત્રણ નંબરે આવનાર વિધાર્થીઓને ઈનામ,સર્ટીફીકેટ અને મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પરીક્ષા સમયે નિશુલ્ક માર્ગદર્શન આપી સમાજના વિધાર્થીઓ ને ઉત્કૃષ્ટ પરિણામ લાવવામાં મદદરૂપ થનાર ઘાંચી સમાજ ઝાલોદ ના શિક્ષકોનું પણ મોમેંટો અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રંગે ઘાંચી સમાજ ઝાલોદના સમાજ સેવક એવા મોલાના નિસાર ,હાજી મુહમ્મદ ભાણા અને સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

