પંકજ પંડિત
ઝાલોદ નગરમા આવેલ અમુક નાસ્તા હાઉસની દુકાનોમાં ગ્રાહકોને નાસ્તો પ્લેટમા નહીં પરંતુ કાગળમા આપવામાં આવે છે આ અંગે ઝાલોદ નગરપાલિકાને પણ સમાચાર માધ્યમ થી ખબર પડતાં આવા દુકાનદારો પાસેથી બે ત્રણ વખત દંડ પણ લેવામાં આવેલ છે છતાંય આવા દુકાનદારો પોતાની આપખુદશાહી ચલાવી રહેલ છે. જો ગ્રાહક પ્લેટમા નાસ્તો માંગે તો તેને સ્પષ્ટ ના કહી દે છે તેમજ અવારનવાર કોઈ ગ્રાહક આવી નાસ્તાની પ્લેટ માંગે તો તેઓ દાદાગીરી કરી કહે છે અમને પોસાતુ નથી તેમ કહે છે. વારંવાર નગરપાલિકા આવા દુકાનદારો પર દંડ લે પણ છે તો પણ અમુક દુકાનદારો તો કોઈનો ડર ન હોય તેમ લુખ્ખી દાદાગીરી ગ્રાહક સાથે કરતા રહે છે. આવી લુખ્ખી દાદાગીરી તેમજ ગ્રાહક સેવા ન આપનાર આવા નાસ્તા હાઉસ સંચાલકો પર પાલિકા તંત્ર ઠોસ પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે.

