સોલંકી કિશોરસિંહ,
ગુજરાત સરકારના ફૂડ સેફટી ઓફિસરશ્રી પિન્કલકુમાર નગરાલાવાલા દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના અધિકારીઓ દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) ના ડો. પ્રદિપ દાવે દ્વારા પર્યાવરણીય નિયમો અને અનુપાલનનું મુખ્ય નિયમનકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (ડીઆઇએસએચ) શ્રી સુધાકર યાદવ દ્વારા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિષય પર સત્ર યોજવામાં આવ્યું હતું.્ગુજરાત સરકાર દ્વારા એમએસએમઈ માટે યોજનાઓ અને લાભો – શ્રી શૈલેષ દેસાઈ, આરએમ, ડીઆઈસી, દાહોદઆ ગુણવતા યાત્રા રાજ્યભરમાં આશરે 55 દિવસ સુધી તેની યાત્રા ચાલુ રાખશે, સુરત, વડોદરા, છોટા ઉદેપુર, વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય 13 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રાથી રાજ્યભરમાં એમએસએમઇને ઝેડઇડી, આઇએસઓ અને લીન સર્ટિફિકેશન અને એનએબીએલ એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047 માટે સક્ષમ બનાવશે.
આ નિમિતે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, મેગા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખશ્રી વિજય શાહ, એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ક્યુસીઆઈ), દિલ્હી એચઓના સંયુક્ત નિદેશક શ્રી મોહિત સિંહ, એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઇ), અમદાવાદ રિજનલ ઓફિસના સલાહકારશ્રી જગત પટેલ, દાહોદ ડીઆઈસી, જી.એમ.શ્રી આર.એસ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

