પંકજ પંડિત
ડ્યૂટી પર હાજર પોલિસ કર્મચારીના કહેવા મુજબ હવા થી કાચ તૂટયો ઝાલોદ આંબેડકર ચોક ખાતે હાલ આંબેડકર જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આજરોજ 17-04-2025ની વહેલી સવારે આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી ગયેલ જોવા મળ્યો હતો. આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી જતાં મોટા પ્રમાણમાં નગરજનો તેમજ પોલિસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. આ ઘટના બનતા રાત્રિ દરમ્યાન હાજર પોલિસ કર્મી સાથે પોલિસ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી રાત્રી દરમ્યાન ફરજ નિભાવનાર પોલિસ કર્મચારીના કહેવા મુજબ રાત્રી દરમ્યાન આ કાચ હવાથી તૂટી ગયેલ છે.હાજર પોલીસ કર્મચારીના નિવેદન પછી પણ નગરજનો દ્વારા આ ઘટના અંગે સી.સી.ટી.વી કુટેજ જોવા માંગ કરી હતી તેમજ જો સી.સીટી.વી ન ચાલતા હોય અને આ ઘટના કોઈએ જાણીને કરી હોય તેવું પણ બની શકે છે તેથી નગરજનો દ્વારા આ ઘટના અંગે સાચી અને યોગ્ય દિશામાં તપાસ કરવા માંગ કરેલ છે.ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.સી. રાઠવા એ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લાગેલ કાચનુ આવરણ રાત્રિ દરમ્યાન ચાલતી હવા થી તૂટેલ છે જેથી આ અંગે કોઇ પણ ખોટી અફવા ચાલતી હોય તો તે તથ્ય વિહીન છે.

