Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આંબેડકર ચોક પર આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી જતાં નગરજનોમા આક્રોશ

પંકજ પંડિત

ડ્યૂટી પર હાજર પોલિસ કર્મચારીના કહેવા મુજબ હવા થી કાચ તૂટયો ઝાલોદ આંબેડકર ચોક ખાતે હાલ આંબેડકર જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આજરોજ 17-04-2025ની વહેલી સવારે આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી ગયેલ જોવા મળ્યો હતો. આંબેડકરની પ્રતિમાનો કાચ તૂટી જતાં મોટા પ્રમાણમાં નગરજનો તેમજ પોલિસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. આ ઘટના બનતા રાત્રિ દરમ્યાન હાજર પોલિસ કર્મી સાથે પોલિસ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી રાત્રી દરમ્યાન ફરજ નિભાવનાર પોલિસ કર્મચારીના કહેવા મુજબ રાત્રી દરમ્યાન આ કાચ હવાથી તૂટી ગયેલ છે.હાજર પોલીસ કર્મચારીના નિવેદન પછી પણ નગરજનો દ્વારા આ ઘટના અંગે સી.સી.ટી.વી કુટેજ જોવા માંગ કરી હતી તેમજ જો સી.સીટી.વી ન ચાલતા હોય અને આ ઘટના કોઈએ જાણીને કરી હોય તેવું પણ બની શકે છે તેથી નગરજનો દ્વારા આ ઘટના અંગે સાચી અને યોગ્ય દિશામાં તપાસ કરવા માંગ કરેલ છે.ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.સી. રાઠવા એ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લાગેલ કાચનુ આવરણ રાત્રિ દરમ્યાન ચાલતી હવા થી તૂટેલ છે જેથી આ અંગે કોઇ પણ ખોટી અફવા ચાલતી હોય તો તે તથ્ય વિહીન છે.

Share

Related posts

જિલ્લા પંચાયયના ખેતીવાડી અધિકારી અને દાહોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા આંગણવાડી અને પ્રાથમિક શાળાઓના પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની પ્રેરક ઉપસ્થિતિમાં “ તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ “ નો થયો પ્રારંભ

gujaratjanekta

જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial