પંકજ પંડિત
પોલિસ દ્વારા અસ્થીર મગજની મહિલાને દાહોદ મોકલવા તજવીજ હાથ ધરીઝાલોદ આઈ.ટી.આઈ કોલેજ ખાતે એક કાચા ઝૂંપડામાં અસ્થીર મગજની મહિલા છે તેની માહિતી ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સિસોદિયાને મળેલ હતી. આ માહિતી ઝાલોદ પોલિસને મળતા ઝાલોદ નગરની સેવાભાવી બહેનોનો સંપર્ક કરેલ હતો. સેવાભાવિ બહેનો જીગીષા પંચાલ, પીનલ પંચાલ, નીમીષા પંચાલ તાત્કાલિક પોલીસ સાથે આઈ.ટી.આઈ મુકામે પહોંચી ગયેલ હતો. પોલિસના સહકારથી સેવાભાવી બહેનોએ આ અસ્થીર મગજની બહેનને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે તપાસ અર્થે લાવવામાં આવેલ હતા. હોસ્પિટલમાં તમામ રિપોર્ટ નોર્મલ આવેલ હતા ત્યારબાદ આ અસ્થીર મગજની મહિલાને નવડાવી, વાળ કપાવી , નવા કપડા પહેરાવવામાં આવેલ હતા. પોલિસ દ્વારા આ મહિલાને પોલિસ સ્ટેશન લઈ જઈ તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.પોલિસ દ્વારા આ મહિલાને બાયડ ખાતે આવેલ જય અંબે વૂમન સોસાયટી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.

