Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એ.પી.એમ.સી ની ચૂંટણીમા મહેશ ભૂરીયાની બિનહરીફ જીત : સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા

પંકજ પંડિત

ચૂંટણી પ્રક્રિયામાં 17 માંથી 15 પ્રતિનિધિ હાજર- બે ગેરહાજર આજરોજ ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા સતત બીજી ટર્મ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ ઉમેદવાર ચૂંટણી અધિકારી ડી.કે.ખેર દ્વારા જાહેર કરવામાં આવેલ હતા.
ઝાલોદ એ.પી.એમ.સી ની ચૂંટણીના નવા ટર્મ માટેની ચૂંટણી એક મહિનાથી સતત ચર્ચામા રહેલ હતી. ચૂંટણી આવતા ઘણીવાર ચેરમેન બનવા અવનવા કાવાદાવા રચાતા હોય છે પરંતુ આ બધા કાવાદાવા વચ્ચે પણ સતત સચોટ કામગીરી કરનાર મહેશ ભૂરીયા પર વોટીંગ કરનાર પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઝાલોદ એ.પી.એમ.સીની ચૂંટણીમાં જીતેલ કુલ 17 પ્રતિનિધિ દ્વારા બીજી ટર્મ માટે વોટિંગ કરવામાં આવેલ છે જેમાંથી 10 ખેડૂત પ્રતિનિધિ, 04 વ્યાપારી પ્રતિનિધિ, 01 ખરીદ વેચાણ સંઘ પ્રતિનિધિ, 01 જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી પ્રતિનિધિ ( દાહોદ) ,01 જિલ્લા ખેતીવાડી અધિકારી ( દાહોદ) દ્વારા વોટિંગ કરવામાં આવનાર હોય છે જેમાંથી 01 ખેડૂત પ્રતિનિધિ ગેરહાજર અને 01 જિલ્લા સહકારી મંડળી ( દાહોદ ) ગેરહાજર રહેલ હતા.એ.પી.એમ.સીના ચેરમેન પદ માટે મહેશ ભૂરીયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ચૂંટણી અધિકારી દ્વારા અન્ય કોઈને ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવા સૂચન કરેલ પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતાં મહેશ ભૂરીયા બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા.બિનહરીફ ચૂંટણી જીતતા મહેશ ભૂરીયાના ટેકેદારો દ્વારા ફટાકડા તેમજ ઢોલ નગારા વગાડી એક બીજાને મીઠાઈ વહેંચી જીતની ઉજવણી કરી હતી. ચૂંટણી જીતતા મોટા પ્રમાણમાં શુભેચ્છકો શુભેચ્છાઓ આપવા ઉમટી પડેલ હતા. સમગ્ર ચૂંટણી દરમિયાન પોલિસ દ્વારા પણ સધન પોલિસ બંદોબસ્ત મુકવામાં આવેલ હતો.

Share

Related posts

દાહોદ ગામની ડબગર સમાજની સામાન્ય પરિવારની દિકરી CA બની સમાજનું ગૌરવ વધાર્યું

gujaratjanekta

પાંચ વર્ષમાં ગરબાડા નો નંબર વન વિકાસ કરીશું – ગૃહ મંત્રી અમિત શાહ

gujaratjanekta

BSNLના પુનરુત્થાન માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને કેબિનેટે આપી મંજૂરી-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial