ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ધર્મગુરુ સૈયદના સાહેબ ના બર્થ ડે નિમિત્તે વ્હોરા સમાજના જીવ દયા સંદેશ પક્ષીઓના દાણા સ્ટેન્ડ વિતરણ કરવામાં આવ્યુંદાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદૃલ સેફુદ્દીન સાહેબ ના આદેશ અનુસાર બર્ડ ફીડર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પક્ષીઓ ને દાના પાણી મળી રહે તે માટેનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે જીવ દયા નો સંદેશ આપતા હોવા ફતેપુરાના જનાબ અબુલ ફાઝીલ શાકીર સાહેબને આગેવાની હેઠળ જમાતના સેક્રેટરી શેખ મોઈજભાઈ જીરુવાલા જોઈન્ટ સેક્રેટરી હુસામુદ્દીનભાઈ નલાવાલા ટ્રેઝર કુતબુદ્દીનભાઈ ગુલામઅલીવાલા મોહમ્મદભાઈ કચેરીવાલા હાતિમભાઈ ટીનવાલા અલીઅસગરભાઈ નલાવાળા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા નગરમાં આવેલ હાઈસ્કૂલ મામલતદાર કચેરી કોર્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પશુ દવાખાના વગેરે ઓફિસમાં બર્ડ ફિડર નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું બર્ડ ફિડર પક્ષીઓ માટે વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ છે જેમાં પક્ષીને બેસવા માટે હુક અને હોલ આપવામાં આવેલ છે જેમાં પક્ષી ચાંચ નાખીને દાણા ચુગી શકે છે આની ડિઝાઇન એ રીતે કરવામાં આવેલ છે કે નીચેથી લઈને ઉપર સુધી આપવામાં આવેલ હોલમાંથી પક્ષી દાણા ચુગી શકે છે હોલ એ રીતે બનાવવામાં આવેલા છે કે દાના નીચે પડી શકે નહીં અને પક્ષી દ્વારા દાના ચુગતી વખતે જો કોઈ દાણા પડી જાય તો તે નીચે લાગેલ પલેટમાં પડે છે જેથી દાણા વેસ્ટ થવાની પણ સંભાવના રહેતી નથી ઉપરોક્ત જાનકારી પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા એ આપેલ છે

