પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી રોડ પર GJ-20-E-0599 ના ચાલક દ્વારા પૂર ઝડપે બેફિકરાઈ ગફલત રીતે બાઇક ચલાવી GJ-35-D-0345 ના ચાલક સાથે બાઇક અથડાવતા ચાલકનું મૃત્યુ થયેલ હતું.
બનાવની વિગત મુજબ તારીખ 03-12-2024 મંગળવારના રોજ અંદાજીત બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સંતરામપુર તાલુકાના રહેવાસી શુક્રમભાઈ GJ-35-D-0345 કલજીની સરસવાણી રોડ થઈ ઝાલોદ તરફ આવતા હતા ત્યારે એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક પોતાનું વાહન GJ-20-E-0599 પૂરઝડપે બાઇક હંકારી લાવી શુક્રમભાઈની બાઇક સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો. શુક્રમભાઈને શરીર તેમજ માથાના ભાગમાં વધુ ઇજા થતાં તેમને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતો સરકારી હોસ્પીટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે દાહોદ લઈ ગયેલ હતા શરીરે વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેમનું મૃત્યુ થયેલ હતું. શુક્રમભાઈના પરિવાર દ્વારા અજાણ્યા ચાલક વિરુધ્ધ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે.

