Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આદિવાસી સમાજનો યુવાન સાયકલ પર ઉત્તરાખંડની યાત્રા કરી પરત ફર્યો

પંકજ પંડિત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામા ભોજેલા ગામનો યુવાન ચિરાગ વળવાઈ 1 જુલાઈ 2024 ના રોજ સાયકલ પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા એ નીકળ્યો હતો. ઉત્તરાખંડના ચારધામ એટલે બદ્રીનાથ , કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી જે યાત્રાની દ્રષ્ટિએ થોડા કઠિન છે. ચિરાગ વળવાઈ ને સાયકલ યાત્રા દરમ્યાન કુદરતી રીતે ઘણી તકલીફ પડી હતી તેમજ ત્યાં વાદળ ફાટી જવાની ઘટનામાં તેઓ ત્યાં ફસાઈ પણ ગયા હતા છતાંય મનમાં અડગ ભાવના અને શ્રદ્ધા થકી ચારેધામની યાત્રા પૂરી કરી હતી આ યાત્રા પછી અંદાજીત 65 દિવસ પછી આ યુવક તારીખ 6-09-2024 ના રોજ પોતાના વતન પર પહોંચવાના છે. અંદાજીત 2500 કિલોમીટરની સાયકલ યાત્રા આ યુવક દ્વારા કરવામાં આવી છે. આજરોજ તારીખ 05-09-2024 ના રોજ સાંજના 5 વાગે આ યુવક ઝાલોદ મુકામે પહોંચ્યો હતો ત્યારે આ યુવાનનું સ્વાગત નગરના હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા સરદાર પટેલ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. આ યુવકના ચહેરા પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા પૂરી કરવાનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાંથી સંત તાલુકા ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી દ્વારા વધારાના નાણા કપાત કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત

gujaratjanekta

દાહોદના શિક્ષિકા બહેનશ્રી મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત.

gujaratjanekta

ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું બન્યું એકદમ સરળ : RTOના ધક્કા ખાવાની જરૂર નથી, અહીંથી નિકળી જશે-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial