ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિધાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમાં આચાર્યા તરીકે બરજોડ રોશનીબેન અનિલભાઈ એ ભૂમિકા ભજવી હતી અને સુપરવાઇઝર તરીકે જવાબદારી પટેલ ખ્વાઈસબેન હિમાંશુભાઈને આપવામાં આવેલી હતી અને તેની સાથે સાથે ક્લાર્ક અને પટાવાળાઓ ની પણ નિમણૂક કરવામાં આવી હતી અને જે શિક્ષિકાબહેનો શિક્ષિકા તરીકે ની પોતાની ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક ઉત્સાહથી કામગીરી કરી હતી આમ સમગ્ર દિવસને આનંદમય અને ઉત્સાહપૂર્વક આ દિનને ઉજવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ શાળાના શિક્ષક શ્રી વી. કે. પટેલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના સાથી સહાયક તરીકે શ્રી ડી.જે. વણકર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને આ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે શાળાનો સમગ્ર સ્ટાફગણ નો સિંહફાળો રહ્યો હતો

